નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા જ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. આ જ પ્રકારે ભાજપ પણ અલગ મૂડમાં જોવા મળી રહ્યો છે. ભાગલાવાદીઓ અને આતંકીઓ માટે તેમની પાર્ટી અને નરેન્દ્ર મોદીનું વલણ પહેલા જેવું હતું તેવું જ અત્યારે છે તેવું દર્શાવવા માટે ભાજપે પીએમ મોદીનો 27 વર્ષ જૂનો વીડિયો શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહના તેવર બદલાતા નથી એ નામે વીડિયો પોસ્ટ કરાયો છે. વીડિયોમાં એક બાજુ મોદીનું એ ભાષણ છે જે તેમણે 24 જાન્યુઆરી 1992ના રોજ લાલચોક જતા પહેલા આપ્યું હતું. બીજી બાજુ 4 માર્ચ 2019ના રોજનું જનસભામાં આપેલું ભાષણ છે જેમાં તેઓ પાકિસ્તાન પર થયેલી એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરી રહ્યાં છે. 


ભારતીય સેનાએ ફરીથી કરી સર્જિકલ સ્ટ્રાઈક, મ્યાંમાર સરહદમાં ઘૂસીને આતંકીઓના ઠેકાણા નષ્ટ કર્યાં-સૂત્ર


લાલ ચોક પર તિરંગ ફરકાવ્યો હતો
જમ્મુ અને કાશ્મીરના લાલ ચોક પર તિરંગો ફરકાવવો એ 1992ના રાજકારણમાં કેન્દ્રમાં હતું. તે વર્ષે આતંકીઓની ધમકી છતાં મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા મનોહર જોશી વગેરે સાથે લાલ ચોક પર તિરંગો ફરકાવ્યો હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...